"GAU TECH 2023- માં પધારવા પૂજ્ય શ્રી મોરારિબાપુને આમંત્રણ અને ગૌ ટેક વિશે ચર્ચા - વિચારણા "
ગૌ ટેક કે જે નવા ભારતને સાકાર કરવામાં એક અત્યંત મહત્વનો ભાગ ભજવશે તેમાં દરેક વ્યકિતને એકવખત અચૂક મુલાકાત લેવા ડો. વલ્લભભાઇ કથીરીયા એ આગ્રહભરી વિનંતી કરી છે.
BY KASHYAP JOSHI : LOKMOOKH - RAJKOT
આજરોજ કચ્છના નખત્રાણા ખાતે ચાલી રહેલી શ્રી
મોરારીબાપુની રામકથા માં ડો. વલ્લભભાઈ કથીરીયા એ હાજરી આપી અને કથા શ્રવણનો
લાભ લીધો. સાથે સાથે ત્યાં આરતીનો લાભ મેળવવા પણ તેઓ ભાગ્યશાળી બન્યા. અને
આ તકે રાજકોટ માં યોજાનાર ભવ્ય " ગૌ ટેક એક્સ્પો - ૨૦૨૩" વિશે પણ બાપુ
સાથે ચર્ચા વિચારણા કરી અને શ્રી મોરારિબાપુ ને ત્યાં પધારવા ભાવભીની
વિનંતી કરેલી.
આ સમયે વલ્લભભાઇ સાથે મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા અને ભાજપા અગ્રણી શ્રી ચેતનભાઈ રામાણી પણ આમંત્રણ પાઠવવા ઉપસ્થિત રહેલા.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો